પ.બંગાળના જલપાઈગુડીમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાનો શિલાન્યાસ
Live TV
-
પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળને આપી ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ગઈકાલે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો., અને કોર્ટના નવા સર્કિટ બેચનું ઉદ્ધાટન કરી જનસભાને સંબોધી હતી. મમતા બેનર્જીના સીબીઆઈ સાથેના વિવાદ બાદ આ તેમની પ્રથમ સભા હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જે ત્રિપુરામાં થયું તે પશ્ચિમ બંગાળમાં પણ થશે. પશ્ચિમ બંગાળને પણ લોકશાહી સમાન રીતે લાગુ પડે છે. અહીંની સરકાર પાસે દેશનું કોઈ વિઝન નથી. અને અહીંની સરકાર ધરણાંના કવચથી નહીં બચી શકે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ , આજે છત્તીસગઢમાં જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી બાદ છત્તીસગઢની જનતાના વિકાસ માટે , અમારો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે. અમે અહીંની સડક, રેલવે, હવાઈ મથક, ઉદ્યોગ ધંધાના કાર્યોમાં , તેજી લાવીશું. આયુષ્યમાન ભારત યોજના બંધ કરી , લોકોનો અધિકાર છીનવવાનો , છત્તીસગઢની વર્તમાન કોંગ્રેસ સરકાર ઉપર , તેમણે આરોપ લગાવ્યો હતો