પશ્ચિમ બંગાળમાં હિંસા બાદ હવે ઓબ્ઝર્વર સાથે બેઠક કરશે ચૂંટણી પંચ
Live TV
-
પશ્ચિમ બંગાળમાં હિંસા બાદ હવે ઓબ્ઝર્વર સાથે બેઠક કરશે ચૂંટણી પંચ - મુખ્યમંત્રી મમતા બેનરજીના ચૂંટણીપ્રચાર પર પ્રતિબંધની ભાજપે ચૂંટણી પક્ષ સમક્ષ કરી છે માગ - કોલકાતા હિંસા વિરુદ્ધ ભાજપ દ્વારા દિલ્હીમાં ધરણાં-પ્રદર્શન
પશ્ચિમ બંગાળમાં સાતમા અને અંતિમ તબક્કાની 9 સીટો પર મતદાન થવાનું છે. રાજ્યમાં અત્યાર સુધી 6 તબક્કાના થયેલ મતદાન દરમ્યાન ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી વચ્ચે સતત સંઘર્ષ જોવા મળ્યો છે. એવામાં પશ્ચિમ બંગાળમાં થઈ રહેલ સતત હિંસાની ઘટનાઓને લઈને ચૂંટણી પંચ રાજ્યના ચૂંટણી ઓબ્ઝર્વરો સાથે એક બેઠક કરશે.
ચૂંટણી પંચ વીડિયો કોન્ફરન્સ થકી પશ્ચિમ બંગાળની ચૂંટણી ઓબ્ઝર્વર ટીમ સાથે ચર્ચા કરી તાગ મેળવશે. ઉલ્લેખનીય છે કે, યુપી અને મહારાષ્ટ્ર પછી દેશમાં સૌથી વધુ બેઠકો ધરાવતા રાજ્ય પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ રોડ રોડ શો માટે ઉત્તર કોલકાતા પહોંચ્યા હતા. અમિત શાહ ખુલી ગાડીમાં લોકો વચ્ચે રેલીમાં નીકળ્યા હતા. તે સમયે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના બાદ રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે.