પૂરા બંગાળમાં કાળો દિવસ મનાવશે ભાજપ
Live TV
-
પશ્ચિમ બંગાળમાં સત્તાધીશ તૃણમુલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે તણાવ વધુ ઉગ્ર બની રહ્યો છે
પશ્ચિમ બંગાળમાં સત્તાધીશ તૃણમુલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે તણાવ વધુ ઉગ્ર બની રહ્યો છે. ઉત્તર 24 પરગણામાં શનિવારે થયેલી હિંસક અથડામણમાં મોતને ભેટલા ભાજપના કાર્યકર્તાઓના અંતિમ સંસ્કારને લઇને રાજ્યની પોલીસ અને ભાજપના નેતાઓ વચ્ચે માહોલ વધુ ગરમાયો છે.
રવિવારે બશિરહાટમાં અંતિમદર્શન કરવા માટે પાર્ટીના કાર્યલયે લઈ જવાઇ રહેલા મૃતદેહોને પોલીસે અટકાવ્યા હતા. જેને લઈને પોલીસ પર મનમાની કરવાનો આરોપ લગાવતા ભાજપે બશિરહાટમાં 12 કલાકનું બંધનું એલાન આપ્યું હતું અને સમગ્ર પશ્ચિમબંગાળમાં આજના દિવસને કાળા દિવસ તરીકે મનાવવાનું જાહેર કર્યું છે.
કેન્દ્ર સરકારે રવિવારે પશ્ચિમબંગાળમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી હિંસક અથડામણને લઈને ઉંડી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી બાદ પણ હિંસા થવી એ રાજ્ય સરકારની મોટી નિષ્ફળતા છે. પશ્ચિમબંગાળ સરકારને આપેલી સૂચનામાં ગૃહમંત્રાલયે રાજ્યમાં કાયદો વ્યવસ્થા શાંતિ અને સૌહાર્દભર્યુ વાતાવરણ બનાવી રાખવાની ટકોર કરી છે. દરમિયાન આ પરિસ્થિતિને ધ્યાને રાખતા રાજ્યના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી તેમજ રાજ્યની સમગ્ર પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો.