પ્રધાનમંત્રી આજે મન કી બાત કાર્યક્રમમાં લોકોની સાથે પોતાના વિચારો વ્યક્ત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકોની સાથે પોતાના વિચારોની આપ-લે કરશે. આ કાર્યક્રમ માસિક રેડિયો કાર્યક્રમની 103મી કડી છે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરવામાં આવશે.
એવી જ રીતે રવિવારે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી મન કીબાત કાર્યક્રમના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઈટ અને ન્યૂઝ ઓન એયર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
