પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો દિલ્લીની અનધિકૃત કૉલોનીના લાભાર્થીઓ સાથે સંવાદ
Live TV
-
અનધિકૃત કૉલોનીમાં રહેતા 40 લાખ લોકોને તેમના હક આપવા કેન્દ્ર સરકાર કટીબદ્ધ
કેન્દ્ર સરકારે દિલ્હીના નાગરીકોને રાહત આપતા કેન્દ્રિય કેબિનેટમાં નિર્ણય લીધો હતો. જે નિર્ણય મુજબ દિલ્હીની 1700થી વધુ અનઅધિકૃત કોલોનીઓને અધિકૃત કરવામાં આવશે. તેમના આ નિર્ણયથી ખુશ થયેલા દિલ્હી વાસીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી અને તેમના આ નિર્ણય માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. દિલ્હીના આ લાભાર્થીઓ સાથે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે, દિલ્હીના નાગરીકોને પાયાગત સુવિધાઓ મળી રહે તે માટે અમે પ્રયત્નશીલ છીએ. આ મામલે તેમણે દિલ્હી સરકાર પર આક્ષેપ કર્યા હતા