બળવાખોર ધારાસભ્યોને સ્પીકર સમક્ષ હાજર થવા સુપ્રીમ કોર્ટનો આદેશ
Live TV
-
સ્પીકર આજે જ રાજીનામાં પર નિર્ણય લે: સુપ્રીમ કોર્ટ
કર્ણાટકના 10 બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે પોતાના રાજીનામાં સંબંધી સૂચનાને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં સ્પીકર સમક્ષ હાજર થઈને જણાવવામાં આવે..આ સાથે જ સુપ્રીમ કોર્ટે કર્ણાટક વિધાનસભાના સ્પીકરને નિર્દેશ આપ્યો છે કે તેઓ આજે જ આ રાજીનામાં પર નિર્ણય કરે...આવતીકાલે એટલે કે શુક્રવારે સ્પીકરના આદેશની કોપ રજૂ કરવામાં આવશે..શુક્રવાર જ આ મામલાની આગામી સુનાવણી થશે...આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કર્ણાટકના DGPને આદેશ કર્યો છે કે ગઠબંધન સરકારના બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા પૂરી પાડવામાં આવે. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસમાં ગઠબંધન સરકારના 16 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. કર્ણાટકમાં હાલ રાજનૈતિક ઉથલપાથલ ચાલી રહી છે.
આ રાજીનામાં મંજૂર થશે તો ગઠબંધન સરકારની સંખ્યા વિધાનસભામાં 100 થઈ જશે. રાજ્યમાં 11થી 14 જુલાઈ સુધી બેંગ્લોર વિધાનસભામાં કલમ 144 લગાડવામાં આવી છે. આ રાજીનામાના કારણે પહેલા જ સંકટમાં રહેલી કુમારસ્વામી સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભાજપ સતત માગ કરી રહી છે કે મુખ્યમંત્રી રાજીનામુ આપે કારણ કે તેમની સરકાર પાસે હવે બહુમત નથી. ભાજપે ધારાસભ્યોના રાજીનામા અંગેની કાર્યવાહીમાં વિલંબ માટે વિધાનસભા અધ્યક્ષના નિર્ણય પર વિરોધ દર્શાવ્યો છે. ભાજપ અધ્યક્ષ યેદિયુરપ્પાએ પાર્ટીના ધારાસભ્યો સાથે વિધાનસભા બહાર ધરણા પણ કર્યા હતા. ભાજપે આ મુદ્દા પર રાજ્યપાલને હસ્તક્ષેપ કરવાની પણ માગ કરી છે.