ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચને મળ્યું
Live TV
-
ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચને મળવા માટે પહોચ્યું હતું. ભાજપના આ પ્રતિનિધિ મંડળે પશ્ચિમ બંગાળ માટે તેમની જે ચિંતાઓ છે તેને ચૂંટણી પંચ સમક્ષ મુકી હતી. આ અંગે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપના મોટા નેતાઓને બંગાળમાં ચૂંટણી પ્રચાર કરતાં રોકવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બંગાળમાં જે હિંસાનો ઇતિહાસ રહ્યો છે તેને જોતાં અહીં ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શી રીતે થાય તે માટે તેમણે કેટલાક સુચનો ચૂંટણી પંચ સમક્ષ મુક્યા હતા.