ભાજપાધ્યક્ષ અમિત શાહે રોડ શોમાં થયેલી હિંસા માટે TMCને ગણાવ્યું જવાબદાર
Live TV
-
ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગઈકાલે કલકત્તામાં એક રોડ શો દરમિયાન થયેલી હિંસા માટે ટીએમસીને જવાબદાર ગણાવ્યું છે. હિંસાની પાછળ ટીએમસીનો હાથ હોવાનો લગાવ્યો તેમણે આરોપ મૂક્યો છે.
તેમણે ટીએમસીના કાર્યકર્તાઓએ ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને તોડવાનો લગાવ્યો આરોપ તો ચૂંટણી પંચ પાસે કાર્યવાહી કરવાની માંગ પણ તેમણે કરી છે. અમિત શાહે કહ્યું કે, બંગાળ હિંસામાં ચૂંટણી પંચ બન્યું મૂક પ્રેક્ષક.
જો કે આ મુદ્દે ચૂંટણી પંચે કરી હતી સમીક્ષા બેઠક. જો કે આ ઘટનાના પડઘાં દિલ્હી સહિત ગુજરાતમાં પણ પડ્યા હતા. હિંસા મુદ્દે ભાજપના કાર્યકરોએ દિલ્હીના જંતરમંતરમાં કર્યું ધરણાં પ્રદર્શન.