ભારત વન વિસ્તાર અહેવાલ, 2021 મુજબ દેશના વન વિસ્તારમાં વધારો નોંધાયો
Live TV
-
ભારતના વન વિસ્તાર અંગેના 2021ના નવા અહેવાલમાં દેશમાં વન વિસ્તારમાં વધારો થયો હોવાનું જણાવ્યું છે. આ અહેવાલ મુજબ દેશના કુલ ભૌગોલિક વિસ્તાર પૈકી 25 ટકા જેટલા હિસ્સામાં વન વિસ્તાર વધ્યો છે.
જે 2019ની તુલનામાં 2 હજાર 261 ચોરસ કિલોમીટરનો વધારો દર્શાવે છે. વન સર્વેક્ષણના મહાનિદેશક અનુપસિંહે જણાવ્યું હતું કે, ખાસ કરીને વન વિસ્તારમાં થયેલા વધારાથી કાર્બન ઉત્સર્જનના પ્રમાણમાં ઘટાડો નોંધાશે. આ વન વિસ્તારના વિસ્તરણથી જંગલમાં રહેતા પશુ પક્ષી અને પ્રાણીઓ તેમજ વન્ય પેદાશોમાં પણ વધારો જોવા મળશે.
