મસૂદ અઝહર મામલે રાહુલ ગાંધીએ કરેલા ટ્વિટ અંગે રવિશંકર પ્રસાદે કર્યો પ્રહાર
Live TV
-
રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું ,કે આતંકી અઝહર મસૂદને ચીન જે રીતે છાવરી રહ્યું છે, તેનાથી ભારતના લોકો દુઃખી છે. વધુમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું, કે, 2009માં પણ UPA સરકાર દરમિયાન ચીને આ પ્રકારનું વલણ અપનાવ્યું હતું
નવી દિલ્હી ખાતેના ભાજપ મુખ્ય કાર્યાલયથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. જેમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું ,કે આતંકી અઝહર મસૂદને ચીન જે રીતે છાવરી રહ્યું છે, તેનાથી ભારતના લોકો દુઃખી છે. વધુમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું, કે, 2009માં પણ UPA સરકાર દરમિયાન ચીને આ પ્રકારનું વલણ અપનાવ્યું હતું ત્યારે આજે રાહુલ ગાંધી જણાવે કે, 2009 માં તેમણે આ મામલે શું ટ્વીટ કર્યું હતું? અઝહર મસૂદ જેવા વૈશ્વિક આતંકવાદી માટે કોંગ્રેસનું પણ આ જ વલણ હશે. રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછ્યો હતો, કે, ભારત દેશને પીડા થાય છે, તો તમને ખુશી કેવી રીતે થાય છે?