મુંબઈ ફૂટઓવર બ્રિજ ધરાશાયી, 6 ના મોત, 33ને ઇજા
Live TV
-
મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશન પર બનેલો ફૂટઑવર બ્રિજ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 6 વ્યક્તિના મોત થયા છે. જ્યારે 33 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. મૃતકોના પરિવારને 5 લાખ જ્યારે ઇજાગ્રસ્તને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ દ્વારા આ બનાવની ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને સરકાર તરફથી સારવાર આપવામાં આવશે.