રાષ્ટ્રપતિ ભવનમાં ગેલન્ટ્રી અને વિશિષ્ટ સેવા ચંદ્રકોથી લશ્કરના જવાનોને સન્માન્યા
Live TV
-
આ ચંદ્રકો જવાનોની બહાદુરી, અદમ્ય સાહસને હિંમ્મત તથા પોતાની કામગીરી પ્રત્યે ફરજ નિષ્ઠાને અનુલક્ષી આપવામાં આવે છે. આજના આ સમારંભમાં ત્રણ કિર્તીચક્ર અને સત્તર શૌર્યચક્રો પ્રદાન કરવામાં આવ્યા હતા.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનમાં ગેલન્ટ્રી અને વિશિષ્ટ સેવા ચંદ્રકોથી લશ્કરના જવાનોને સન્માન્યા હતા. આ ચંદ્રકો જવાનોની બહાદુરી, અદમ્ય સાહસને હિંમ્મત તથા પોતાની કામગીરી પ્રત્યે ફરજ નિષ્ઠાને અનુલક્ષી આપવામાં આવે છે. આજના આ સમારંભમાં ત્રણ કિર્તીચક્ર અને સત્તર શૌર્યચક્રો પ્રદાન કરવામાં આવ્યા હતા. જેમાંથી એક કિર્તીચક્ર અને પાંચ શૌર્ય ચંદ્રકો મૃત્યુ બાદ તેમના પરિવારને અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચૌદ પરમ વિશિષ્ટ સેવા મેડલ, એક ઉત્તમ યુદ્ધ સેવા મેડલ અને બાવીસ અતિ વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવ્યા હતા