સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષિતોની ક્યુરેટિવ પીટીશનને ફગાવી દીધી
Live TV
-
આ કેસમાં ચાર દોષિતો છે, જેમાંથી હજી સુધી માત્ર બે હત્યારાઓએ, દોષિત વિનય અને મુકેશે ક્યુરેટિવ પીટીશન કરી હતી
નિર્ભયા સામુહિક દુષ્કર્મ કેસમાં બે દોષીની કયૂરેટિવ પીટીશન અંગે સુપ્રિમકોર્ટ આજે સુનવણી કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષિતોની ક્યુરેટિવ પીટીશનને ફગાવી દીધી. અગાઉ પટીયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગ રેપ કેસના ચારેય દોષીઓના ડેથ વોરંટ ઇસ્યું કર્યા હતાં. અદાલતે તેમને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગે ફાસી આપવાનો સમય નક્કી કર્યો છે. ક્યુરેટિવ પીટીશન બાદ દોષીઓને રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી દાખલ કરવાનો કાયદેસર અધિકાર છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠ પર આજે ન્યાયમૂર્તિ એન.વી. રમન્ના, જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન ફાલી નરીમાન, જસ્ટિસ આર ભાનુમતી અને જસ્ટિસ અશોક ભૂષણ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે 18 મી ડિસેમ્બરે દોષિતોમાંથી એકની સુધારણા અરજીને ફગાવી દીધી હતી, સુપ્રીમ કોર્ટે અન્ય ત્રણ દોષિતોની સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી, ત્યારબાદ 7 જાન્યુઆરીએ દિલ્હી પટિયાલા હાઉસની સુનાવણી કોર્ટે 22 જાન્યુઆરીએ ફાંસી સંભળાવી હતી. નિર્ભયાની માતાની અરજી પર ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું હતું, અદાલતમાં માંગ કરવામાં આવી હતી કે, દોષિતોની કોઈ અરજી સુપ્રીમ કોર્ટમાં અથવા રાષ્ટ્રપતિ પાસે 7 જાન્યુઆરીએ બાકી નથી, તેથી અદાલતે ફાંસીની સજા સંભળાવી જોઈએ.