સુપ્રીમ કોર્ટે સંરક્ષણ મંત્રાલયને રાફેલ મામલે સોગંદનામું દાખલ કરવાની મંજૂરી આપી
Live TV
-
સુપ્રીમ કોર્ટે સંરક્ષણ મંત્રાલયને રાફેલ મામલે સોગંદનામું દાખલ કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલ દ્વારા કરવામાં આવેલી માગણીને મંજૂરી આપી છે. આ મામલે આવતી કાલે સુનાવણી થશે. આ પહેલા સુનાવણી વખતે એટર્ની જનરલે રિવ્યૂ પિટિશનને રદ કરવાની માંગ કરી હતી. ગત છઠ્ઠી માર્ચે કેન્દ્ર સરકારના વકીલે જણાવ્યું હતું કે રાફેલ ડીલ સાથે જોડાયેલા ખાનગી દસ્તાવેજો સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરાઈ ગયા છે. આ કેસમાં દાખલ થયેલી સમીક્ષા અરજી પર આવતી કાલે ફરીવાર સુનાવણી થશે.