PM નરેન્દ્ર મોદી આજે આઝાદીના અમૃત મહોત્સવ થી સ્વર્ણિમ ભારત સુધી કાર્યક્રમને કરશે સંબોધિત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઝાદીના અમૃત મહોત્સવ થી સ્વર્ણિમ ભારત સુધી કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઓ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવને સમર્પિત એક વર્ષ સુધી ચાલનાર કાર્યક્રમોનો શુભારંભ કરાશે.જેમાં 30 થી વધુ અભિયાન, 15 હજાર થી વધુ કાર્યક્રમ અને આયોજન સામેલ છે. જેમાં 'મેરા ભારત સ્વસ્થ ભારત',આત્મનિર્ભર ભારત: આત્મનિર્ભર કિસાન, મહિલાઓ : ભારતની ધ્વજવાહક, યુનાઇટેડ ઇન્ડિયા મોટર બાઇક અભિયાન અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હરિત પહેલ સામેલ છે. આ કાર્યક્રમ દરમિયાન ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેઝ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ ને સમર્પિત એક ગીત પણ રજૂ કરાશે. બ્રહ્માકુમારી એક વિશ્વવ્યાપી અધ્યાત્મિક આંદોલન છે જે વ્યક્તિગત પરિવર્તન અને વિશ્વ નવીનીકરણ માટે સમર્પિત છે.
