PM નરેન્દ્ર મોદી આજે મોરેશિયસમાં ભારતની સહયતા થી બનાવવામાં આવેલી સામાજિક આવાસ પરિયોજનાનુ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગુનાથ સંયુક્ત રીતે આજે મોરેશિયસમાં ભારતની સહયતાથી બનાવવામાં આવેલી સામાજિક આવાસ પરિયોજનાનુ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. તેઓ મોરેશિયસમાં સિવિલ સર્વિસ કોલેજ અને 8 મેગાવોટ સૌર પીવી ફાર્મ પરિયોજનાનો પણ શુભારંભ કરશે. આ પરિયોજનાઓ ભારતના સહયોગથી શરૂ કરવામાં આવી છે. આ અવસરે મેટ્રો એક્સપ્રેસ પરિયોજના અને અન્ય માળખાગત પરિયોજનાઓ માટે ભારત તરફથી મોરેશિયસને 190 મિલિયન અમેરિકન ડોલર રૂપિયાની લાઇન ઓફ ક્રેડિટ આપવા સમજૂતી કરાશે.
