PM નરેન્દ્ર મોદી બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલ જશે
Live TV
-
આગામી 13 અને 14 નવેમ્બરે બ્રાઝિલ યાત્રા પર જશે
પ્રધાનમંત્રી મોદી બ્રક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 13 અને 14 નવેમ્બરે બ્રાઝિલ યાત્રા પર જશે. વિદેશ મંત્રાલયે ગઈકાલે આ અંગેની ઔપચારિક માહિતી આપી હતી. યાત્રા સિવાય અનેક દ્વિપક્ષીય મુલકાત, બ્રીક્સ વુમન્સ અલાયન્સ નેટવર્કની શરૂઆત થશે. બ્રાઝીલે પોતાના અધ્યક્ષ પદ અંતર્ગત બ્રિક્સમાં આતંકવાદની રોકથામને પ્રાથમિકતા આપવાનું ઠાની લીધું છે. બ્રાઝીલની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય અપરાધ અને આતંકવાદનો મુકાબલો કરવાની સાથોસાથ વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશન, અર્થવ્યવસ્થા, ન્યૂ ડેવલપમેન્ટ બેંક અને બ્રિક્સ બિઝનેસ કાઉંસિલ વગેરે પ્રાથમિક મુદ્દા સામેલ છે.