Skip to main content
Settings Settings for Dark

PM મોદીનું ગુવાહાટીમાં સંબોધન, ચાંગસારીમાં AIIMSનું કર્યું ખાતમૂર્હુત 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂર્વોત્તરના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ અરુણાચલ પ્રદેશ, આસામ અને ત્રિપુરાની મુલાકાત લેવાના છે. તેઓ પ્રથમ અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા, જ્યાં તેમણે દૂરદર્શનની અરુણપ્રભા ચેનલનું ઉદ્દઘાટન પણ કર્યું હતું. 

    બાદમાં તેઓ આસામના ગુવાહાટીમાં પહોંચ્યા હતા. ગુવાહાટીમાં તેમણે બ્રહ્મપુત્રા નદી પર છ લેન ધરાવતા પુલની આધારશિલા મૂકી હતી.  આ બ્રીજ ગુવાહાટી શહેરને ઉત્તર ગુવાહાટી સાથે સાંકળશે. તેમણે રિફાઈનરી અને પાઈપલાઈનની પણ આધારશિલા મૂકી હતી. 

    ઉપરાંત પ્રધાનમંત્રીએ ચાંગસારીમાં એમ્સ હોસ્પિટલના નિર્માણનું ખાતમૂર્હુત પણ કર્યું હતું.  ઉદ્દઘાટન બાદ તેમણે એક જનસભાને પણ સંબોધી હતી. 

    બાદમાં તેઓ ત્રિપુરા ખાતે સૌ પ્રથમ અગરતલા વિમાની મથકે મહારાજા વીર વિક્રમસિંહની પ્રતિમાનું તેઓ અનાવરણ કરશે. પ્રધાનમંત્રી પૂર્વોત્તર રેલવેની બિલોનિયા રેલવે લીંક દેશને સમર્પિત કરશે. તેઓ ત્રિપુરા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના નવા સંકુલનું ઉદઘાટન પણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply