ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ પદક વિજેતા નીરજ ચોપરા 4 ડિસેમ્બરે અમદાવાદની મુલાકાતે
Live TV
-
ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ પદક જીતનાર નીરજ ચોપરા 4 થી ડિસેમ્બરે અમદાવાદના સંસ્કારધામ ખાતે શાળાના બાળકોને મળવા માટે આવી રહ્યા છે. માહિતી પ્રસારણ અને ખેલકૂદ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું છે કે, ઓલિમ્પિક હીરોની શાળા મુલાકાત નાના બાળકો માટે મોટું સ્વપન સેવવામાં નિમિત્ત બની શકે તેવા આશયથી તમામ ઓલિમ્પિક પદક વિજેતા દેશભરમાં ભ્રમણ કરવાના છે. જેમાં નીરજ ચોપરાનો પહેલો કાર્યક્રમ સંસ્કારધામમાં ગોઠવાયો છે. માહિતી પ્રસારણ અને ખેલકૂદ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂચન પ્રમાણે આ દેશવ્યાપી કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. દરેક ઓલિમ્પિક પદક વિજેતા શાળાની મુલાકાત દરમ્યાન બાળકોને સંતુલિત આહાર, ફિટનેસ અને સ્પોર્ટ્સનું મહત્વ સમજાવશે. નીરજ ચોપરાએ પણ આ નવોદિત પ્રયોગનો યશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપતા કહ્યું છે કે, સ્પોર્ટ્સનું કલ્ચર ઊભું કરવા માટેનો આ પ્રયાસ ઉત્તમ પરિણામ આપશે, તેમાં શંકા નથી.