અમદાવાદ દૂરદર્શન ખાતે બે દિવસીય સ્ટ્રીંગર વર્કશોપનું સમાપન
Live TV
-
અમદાવાદ દૂરદર્શન ખાતે યોજાયેલી બે દિવસિય સ્ટ્રિંગર વર્કશોપનું આજે સમાપન થયું હતું,, સ્ટ્રિંગર વર્કશોપમાં રાજ્યના તમામ જિલ્લાના સ્ટ્રિંગર જોડાયા હતા, વર્કશોપમાં અમદાવાદ દૂરદર્શનમાં ડેપ્યુટી ડાયરેકટર જનરલ કમલેન્દ્ર સરભાઇ, પ્રોગ્રામિંગ હેડ રૂપા મહેતા, ન્યૂઝ રૂમના ડાયરેક્ટર ધર્મેન્દ્ર તિવારી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉત્સવ પરમાર તેમજ ન્યૂઝ એડિટર નિશિથ જોષીએ સ્ટ્રિંગરોને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું,, તો સાથે જ માહિતી ખાતામાંથી સંજય કચોટ અને હિરેન ભટ્ટ પણ હાજર રહ્યા હતા.ખાસ કરીને કેન્દ્ર સરકાર પાણી બચાવવા માટે અભિયાન હાથ ધર્યું છે, તેના પર વિશેષ ચર્ચા કરાઈ હતી, સાથે જ નવી ટેકનોલોજીના ઉપયોગથી અંતરિયાળ વિસ્તારમાં લોકોની વાચા તેમજ સરકારની યોજનાઓની જાણકારી દર્શકો સુધી કેવી રીતે પહોંચાડવી તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, આ પ્રસંગે વર્ષ દરમિયાન ઉત્કૃષ્ઠ કામગિરી કરનાર સ્ટ્રિંગરોનું પ્રમાણ પત્ર આપી સન્માન કરાયું હતું,, આ પ્રસંગે માહિતી ખાતાના અધિકારી તેમજ દૂરદર્શનના ટેકનિકલ સ્ટાફના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.