અમરેલીમાં જ્યારે CMએ કરી બોટ રાઇડીંગ , જુઓ તસ્વીરોમાં
Live TV
-
દુધાળા ગામે સવજી ધોળકિયાએ બનાવેલા તળાવનું લોકાર્પણ કર્યુ હતુ
જૂના તળાવો ઉંડા કરવાના જળસંચયના ભગીરથ કામ કરાયા બાદ જે તળાવમાં એક પણ ટીપું પાણી ન હતું એવા તળાવો વરસાદના કારણે પાણીથી છલોછલ ભરાઇ ગયા છે. સુરતના ડાયમંડ ટાયકૂન તરીકે ઓળખ ધરાવતા સવજીભાઇ ધોળકિયાએ પોતાના વતન દુધાળામાં સ્વખર્ચે તળાવ બનાવ્યું છે જેનું નામ નારણ સરોવર રાખવામાં આવ્યું છે. આ વર્ષે સારા વરસાદથી આ તળાવ છલોછલ થતા તેનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. બાદમાં તળાવમાં સીએમએ સવજીભાઇ સાથે બોટ રાઇડીંગની મજા માણી હતી.