અમરેલીમાં સુચના પ્રસારણ સચિવે 10 કિલો વોટનું ટ્રાન્સમીટર લગાવવા આશ્વાસન આપ્યુ
Live TV
-
અમરેલી ના સાંસદ નારણભાઇ કાછડીયા એ સુચના પ્રસારણ સચિવ અમીત ખેર ને રજુઆત કરતા જણાવ્યું હતું કે, અમરેલીમાં વર્તમાન સમયમાં 100 વોટની ક્ષમતાવાળુ એફ.એમ.રીલે ટ્રાન્સમીટર સંચાલિત છે. જેની રેન્જ ફક્ત 4 થી 5 કિમી સુધી જ છે.
અમરેલી ના સાંસદ નારણભાઇ કાછડીયા એ સુચના પ્રસારણ સચિવ અમીત ખેર ને રજુઆત કરતા જણાવ્યું હતું કે, અમરેલીમાં વર્તમાન સમયમાં 100 વોટની ક્ષમતાવાળુ એફ.એમ.રીલે ટ્રાન્સમીટર સંચાલિત છે. જેની રેન્જ ફક્ત 4 થી 5 કિમી સુધી જ છે. જેના પગલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને એફ.એમની સુવિધાનો લાભ મળતો નથી. અહી એફ.એમ.રીલે ટ્રાન્સમીટર સંચાલન થઈ રહ્યું હતું. ત્યારે વિભાગના અધિકારીઓએ અહી 10 કીલો વોટનું ટ્રાન્સમીટર લગાવાવ આશ્વાસન આપ્યું હતું. પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થયેલ નથી. વર્તમાન સમયમાં અહી રેડીઓ સ્ટેશન હોવુ ખુબ જ આવશ્યક છે. હાલ પ્રધાનમંત્રી દ્વારા રેડીઓ પર મન કી બાત કાર્યક્રમ સંભળાવી રહ્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પ્રધાનમંત્રીનો મેસેજ પહોંચતો નથી.