આણંદના નાપા ગામે જૂની હવેલી ખાતે હિંડોળાના દર્શન કરવા ભક્તોની ભીડ
Live TV
-
આણંદ જિલ્લાના નાપા ગામ ખાતે આવેલી સો વર્ષથી પણ વધારે જૂની હવેલીમાં દરરોજ નવા હિંડોળા બનાવવામાં આવે છે...અને આ હિંડોળા પર ઠાકોરજી નવા નવા રૂપે ભક્તોને દર્શન આપે છે...
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે...અને શ્રાવણ માસનું હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્વ છે...હિન્દુ ધર્મના લોકો તપ અને ભક્તિથી આ માસની ખુબ જ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરે છે...તો વૈષ્ણવ સંપ્રદાયમાં વિશેષ રીતે શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવે છે....આણંદ જિલ્લાના નાપા ગામ ખાતે આવેલી સો વર્ષથી પણ વધારે જૂની હવેલીમાં દરરોજ નવા હિંડોળા બનાવવામાં આવે છે...અને આ હિંડોળા પર ઠાકોરજી નવા નવા રૂપે ભક્તોને દર્શન આપે છે...ઠોકરજીની પ્રિય એવી વર્ષા ઋતુ હાલ ચાલી રહી છે...ત્યારે હવેલીમાં ખાસ વર્ષા ઋતુને અનુરૂપ માહોલ ઉભો કરવામાં આવ્યો છે...સંગીતની સાથે અવિરત વરસાદ વરસતો હોય તે રીતે ફુવારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે....જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે...