એકથી વધુ વિષયની પરીક્ષા આપવા માટે કરાઈ રજૂઆત
Live TV
-
જુના નિયમ મુજબ ધો.12 વિજ્ઞાન પ્રવાહના નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માત્ર એક જ વિષયની પરીક્ષા આપી શકે છે, પણ હવે નવો અભ્યાસક્રમ આવવાનો હોવાથી તેઓ એકથી વધુ વિષયોની પરીક્ષા આપી શકે તેવી રજૂઆત સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ ગાંધીનગર પહોચ્યા હતા અને તેમણે શિક્ષણ મંત્રીને મળી પોતાની વાત રજૂ કરી હતી. ચાલુ વર્ષે 33 હજાર જેટલા વિદ્યાર્થીઓ 2 થી વધુ વિષયમાં નાપાસ થયા છે. જેથી આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે ચિંતાતૂર વાલીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષણમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ તેમની આ રજૂઆત સાંભળી હતી અને આ અંગે યોગ્ય નિર્ણય લેવાનું આશ્વાસન અપાયું હતું