ચીખલીમાં આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન ભારત જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દેશના કરોડો ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજનાનો લાભ નવસારી જિલ્લાના લોકો સરળતાથી લઇ શકે તે માટે ચીખલીમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન ભારત જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દેશના કરોડો ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજનાનો લાભ નવસારી જિલ્લાના લોકો સરળતાથી લઇ શકે તે માટે ચીખલીમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન ભારત જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાભાર્થીઓને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનામાં સમાવિષ્ટ તમામ માહિતી આપીને તેઓને કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે, આયુષ્માન ભારત યોજનામાં સામાન્ય બિમારીઓની સારવાર સાથે 23 જેટલી ગંભીર બીમારીઓની સારવારના પણ સમાવેશ કરાયો છે. તેમજ આરોગ્ય મંત્રાલયે પોતાના તરફથી 1,354 બીમારીઓની સારવારનું લીસ્ટ પણ તૈયાર કર્યું છે.