જામનગરમાં નેચરોપેથી દ્વારા ગંભીર રોગની અપાઈ રહી છે સારવાર
Live TV
-
જામનગર નજીક આવેલા લાખાબાવળમાં લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગા રિસર્ચ સેન્ટરમાં અનેક રોગની સારવાર નેચરોપેથી દ્વારા કરવામાં આવે છે. આજની ભાગદોડ ભરી તથા તણાવયુક્ત જિંદગી માટે નેચરોપેથીની સારવાર તેમજ મસાજ થેરાપી ખુબજ રાહત આપી રહી છે. ત્યારે અહીં કિડનીડાયાલીસીસ, થાઈરૉઈડ, માઈક્રેન, લકવા, ગેસ, અનિન્દ્રા, ઘૂંટણ અને કમરનો દુખાવો ઉપરાંત એલર્જી વધુ પડતું વજન., હાયપર ટેન્શનની સારવાર કરવામાં આવે છે. એટલું જ નહીં આયુર્વેદિકથી સ્પાઇન જેટ થેરાપીથી લઈને વિવિધ મસાજ કરવામાં આવે છે. અહીં 200 વ્યક્તિ યોગ કરી શકે તે માટે યોગાહોલ., સ્વિમિંગ પુલ, કન્સલ્ટન્સી રૂમ., મૂવી રૂમ., લાયબ્રેરી સહિતની સુવિધાઓ પણ રાખવામા આવી છે,. લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગા રિસર્ચ સેન્ટરની કામગીરીને લઈને બોલાવાયેલી એક પત્રકાર પરિષદમાં લીલાવતિબેન શાહ., ચંદુભાઈ શાહ., ભરતભાઇ શાહ., કેશુભાઈ., મીનાક્ષીબેન શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા..