દેવભૂમિ દ્વારકામાં ઝીલના એકાદશીના રોજ ભગવાન દ્વારકાધીશના બાલ્ય સ્વરૂપની પાલખી યાત્રા નીકળી
Live TV
-
દર વર્ષની પરંપરા મુજબ દેવભૂમિ દ્વારકામાં આ વખતે પણ ઝીલના એકાદશીના રોજ ભગવાન દ્વારકાધીશના બાલ્ય સ્વરૂપની પાલખી યાત્રા નીકળી હતી. આ પ્રસંગે પોલીસ દ્વારા ભગવાન દ્વારકાધીશને "ગાર્ડ ઓફ ઓનર" આપવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી આ નગરચર્યામાં મોટી સંખ્યામાં કૃષ્ણભક્તો, બ્રાહ્મણો, વેપારીઓ અને નગરજનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતાં.
દર વર્ષની પરંપરા મુજબ દેવભૂમિ દ્વારકામાં આ વખતે પણ ઝીલના એકાદશીના રોજ ભગવાન દ્વારકાધીશના બાલ્ય સ્વરૂપની પાલખી યાત્રા નીકળી હતી. આ પ્રસંગે પોલીસ દ્વારા ભગવાન દ્વારકાધીશને "ગાર્ડ ઓફ ઓનર" આપવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી આ નગરચર્યામાં મોટી સંખ્યામાં કૃષ્ણભક્તો, બ્રાહ્મણો, વેપારીઓ અને નગરજનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતાં. દરેક ચોકમાં ભગવાનની પાલખીનું ઉમળકાભેર સ્વાગત સાથે પૂજન કરાયું હતું. ત્યારબાદ કકળાસ કુંડ ખાતે ભગવાનની પૂજા વિધિ કરીને સ્નાન કરાવવામાં આવ્યું હતું. અને ભક્તોએ પણ સ્નાન કરીને આરતી ભોગ ધરાવ્યા બાદ, પાલખી મંદિરે પરત ફરી હતી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચોમાસાની ઋતુમાં ભગવાન રાજાધિરાજ પાલખી યાત્રામાં નગરચર્યાએ નીકળે છે