બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરની જન્મજ્યંતિ
Live TV
-
બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની આજે જન્મજ્યંતિ છે. બાબાસાહેબે પોતાના જીવનકાળ દરમ્યાન પછાત વર્ગના લોકોને સમાજમાં સમાનતા અપાવવા પર ભાર મૂક્યો હતો. તેમનું ભારતના વિકાસમાં ખુબ મહત્વનું યોગદાન રહેલું છે. એક અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, શિક્ષણવિદ્દ અને કાયદાના જાણકાર તરીકે તેમણે આધુનિક ભારતનો પાયો નાંખ્યો હતો. એટલા માટે જ તેમની જન્મજ્યંતિ સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આજના દિવસે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરમાં બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ, વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી, સહિત અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.