બ.કાંના જસરા ગામે અશ્વમેળાનું આયોજન, 500થી વધુ અશ્વસવારો જોડાયા
Live TV
-
બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે અશ્વ મેળાનું આયોજન કરાયું હતું. ચાર દિવસીય આ અશ્વમેળામાં ગુજરાત ભરમાંથી 500થી વધુ અશ્વસવારો એ ભાગ લઈ રહ્યાં છે. જસરા ગામમાં છેલ્લા 7 વર્ષ થી અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે.
શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ અને પ્રવાસન વિભાગ ગુજરાત સરકાર દ્વારા 8માં અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ખાસ કરીને મારવાડી અને કાઠિયાવાડી નસલના અશ્વો મેળામાં ભાગ લે છે. આ મેળામાં ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ અશ્વસવારો અશ્વના કરતબો બતાવવા પહોંચે છે.