બાણેજમાં એક મતદાતા માટે સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે
Live TV
-
બાણેજની જગ્યાના મહંત ભરતદાસબાપુએ ભારતના ચૂંટણી પંચનો આભાર માની સૌને મતદાન કરવાની અપીલ પણ કરી
સમગ્ર દેશમાં ચૂંટણીની તૈયારીઓ થઇ રહી છે. ત્યારે એક પણ વોટર રહી ન જાય તે માટે ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે. દેશમાં એક વિસ્તારમાં એકમાત્ર મતદાતા ગણાતા મહંત ભરતદાસબાપુ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. ગીરના મધ્ય જંગલમાં આવેલ બાણેજની જગ્યાના મહંત ભરતદાસબાપુએ ભારતના ચૂંટણી પંચનો આભાર માની સૌને મતદાન કરવાની અપીલ પણ કરી છે. બાણેજની જગ્યા દુનિયાભરમાં એટલા માટે પ્રસિદ્ધ છે કે અહીંના મહંત ભરતદાસ બાપુ સૌથી અનોખા મતદાતા છે, ગીરના જંગલમાં રહેતા ભરતદાસ મહારાજ એકલા એવા મતદાતા છે જેમના માટે ચૂંટણી પંચ જંગલમાં એક ખાસ મતદાન મથક બનાવે છે અને બાબા ભરતદાસ એકલા મતદાન કરે છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ જણાવ્યું હતું કે વન વિભાગના સહકારથી બાણેજની બાજુમાં આવેલ ફોરેસ્ટના થાણામાં મતદાન મથક બનાવવામાં આવે છે. અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં એકલા મતદાતા તરીકે બાપુએ મતદાન કર્યું છે.