મોરબીના પ્રવીણભાઈ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વની પ્રેરક પહેલ
Live TV
-
ગરીબ, વિધવા બહેનોને નિ:શુલ્ક યાત્રા કરાવવાનો અનોખો પ્રયાસ
સામાજિક ઉત્તરદાયિત્વ ની પ્રેરક પહેલ સાથે મોરબીમાં ગ્રામીણ વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારના વિધવા, ત્યક્તા બહેનો ને ગોકુળ કાશી-હરિદ્વાર, ઋષિકેશ જેવા યાત્રાધામના દર્શન અને નિઃશુલ્ક યાત્રા સાથે દિલ્હી દર્શન કરાવવાનો અનોખો પ્રયાસ મોરબીના પ્રવીણભાઈ કરે છે. વર્ષ દર્મિયાન આવા 24 જેટલા નિઃશુલ્ક સંઘ માં મોરબી પંથક ના જરૂરતમંદ પરિવાર ના વિધવા, ત્યક્તા, બહેનો અને સિનિયર સીટીઝન એવા વડીલો દેવભૂમિ દર્શને જાય છે. વસૂધૈવ કૌટુમ્બકમ ની ભારતીય સઁસ્ફુતિ ની આગવી પરંપરા અનુસાર જરૂરિયાતમમંદ લોકો માટે આશીર્વાદ રૂપ બનતા તેમને પોતાના ઘરે બોલાવી તેમના આશિષ મેળવી પોતાના જીવનને પ્રવીણભાઈ કૃતાર્થ માને છે. જેઓ છેલ્લા ત્રણ વર્ષ થી આ અંગે કોઈ પણ જાતના પ્રચાર પ્રસાર વગર મૂક સેવા કરી રહ્યા છે.