Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ દ્વારા 'રામાયણ' પુસ્તકનું વિમોચન

Live TV

X
  • ગુણવંત પરિખ દ્વારા લેખિત પ્રાસંગિક રામાયણ પુસ્તકનું વિમોચન

    નડિયાદના મહેમદાવાદ ખાતે રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીની ઉપસ્થિતિમાં નયા ભારતના નિર્માણમાં 'વરિષ્ઠ નાગરિકોની ભૂમિકા' વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ દ્વારા ગુણવંત પરિખ દ્વારા લેખિત પ્રાસંગિક રામાયણ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ સાથે રાજ્યપાલના હસ્તે દેહદાન કરનારા વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક સંબોધનમાં રાજ્યપાલ શ્રીએ જણાવ્યું કે ભારતીય સમાજમાં વરિષ્ઠ નાગરિકો મુલ્યવાન સંપત્તિ છે.વરિષ્ઠ નાગરિકો પોતાના અનુભવોનું યુવા પેઢી સાથે આદાન પ્રદાન કરી આઝાદીના આંદોલનમાં લક્ષ્ય, આદર્શોથી નવી પેઢીને વાકેફ કરે તે જરૂરી છે. આ કાર્યક્રમમાં કલેક્ટર સુધીર પટેલ, DDO ડી.એન.મોદી, જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર સહિતના જિલ્લાના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply