સરકારની જળસંચય યોજના તાપી જિલ્લા માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જળસંચય યોજના તાપી જિલ્લા માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. તાપીના ડુંગરાળ વિસ્તારમાં ચોમાસામાં પાણી વહી જતાં ભરશિયાળે જ પાણીની તંગી ઉભી થતી હતી. વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરી જતાં શિયાળાથી જ અહીં ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડાતુ હતું. પરંતુ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જળ સંચય યોજનાના કારણે મલંગદેવ અને તેના આજુબાજુના વિસ્તારોમાં સરકાર દ્વારા ૨૧ તળાવ બનાવવામાં આવ્યા હતા. આ 21 તળાવમાં ચોમાસા દરમિયાન સો ટકા ઉપર પાણી ભરાયું હતું જેના કારણે આજની તારીખમાં આ તળાવો આ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યા છે.