ભારત Vs ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલઃ 6 વિકેટ બાદ હાલમાં ધોની-જાડેજાની સાઝેદારી
Live TV
-
આઈસીસી વર્લ્ડ કપની પહેલી સેમીફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ મંગળવારે મેચ રમાઈ હતી, પરંતુ વરસાદના કારણે મેચને વિરામ આપવામાં આવ્યો હતો.
-હાલમાં ધોની અને જાડેજાની સાઝેદારી, હાલમાં 37 બોલમાં જાડેજાના 45 રન
-સાંજના 6.38 વાગ્યે ભારતના 6 વિકેટ પર 160 રનબાદમાં રિઝર્વ ડે પર 10 જુલાઈએ બુધવારે મેચ શરૂ કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડની ટીમે 47મી ઑવરથી જ આજે રમવાનું શરૂ કર્યું હતું. ન્યૂઝીલેન્ડે આજે 239 રન બનાવી ભારતને 240નો ટાર્ગેટ આપ્યો હતો.
બાદમાં ભારતનો દાંવ શરૂ થયો હતો. જો કે મેચ શરૂ થતા જ ભારતને ઝાટકો મળ્યો છે. માત્ર 5 રનમાં જ ભારતે 3 વિકેટ ગુમાવી દીધી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી માત્ર 1-1 રન બનાવી આઉટ થઈ ગયા હતા. બાદમાં રાહુલની પણ વિકેટ ગઈ હતી.