અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ઝાલાએ કર્યું ક્રોસ વોટિંગ, ધારાસભ્ય પદેથી આપ્યા રાજીનામાં
Live TV
-
નોંધનીય છે કે કોંગ્રેસના ધારાસભ્યો તુટે નહીં કે ક્રોસ વોટિંગ કરે નહીં તેથી તકેદારીના પગલારૂપે તમામ ધારાસભ્યોને બનાસકાંઠા લઈ જવામાં આવ્યા હતા. જે અંગે પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી.
આજે રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 4 વાગ્યે પૂર્ણ થઈ હતી. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતાં ભાજપના ઉમેદવાર એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. અને ત્યાર બાદ તેઓ વિધાનસભા અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવા માટે પહોંચ્યા હતા. તો BTPના છોટુ વસાવા અને NCPના કાંધલ જાડેજાએ પણ ભાજપને ટેકો જાહેર કર્યો છે.
જેના કારણે તેમને રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીએ બજેટ પર પ્રતિક્રિયા આપી છે કે, આ બજેટથી ભારતના વિકાસની ગતિ તેજ થશે.
