ગૃહ રાજ્યમંત્રીએ ગોંડલમાં 3.96 કરોડ રૂ. ના ખર્ચે તૈયાર થયેલ પોલીસ સેનાપતિ કચેરીનું લોકાર્પણ કર્યું
Live TV
-
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટના ગોંડલ ખાતે 3.96 કરોડ રૂ. ના ખર્ચે બનાવવામાં આવેલી નવનિર્મિત પોલિસ સેનાપતિ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ગૃહ મંત્રીએ શહીદ સ્મારકની મુલાકાત પણ લીધી. આ પ્રસંગે કચેરીના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું સાથે હર્ષ સંઘવીએ પાંચાણી ફાઉન્ડેશનના સહયોગથી બનેલ મિયાવાકી સુરક્ષા વનનો શુભારંભ કરાવ્યો.
આ મિયાવાકી વનમાં એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષો વાવી જતન કરાશે. ગૃહ મંત્રીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશેષ સુવિધા ધરાવતી લાયબ્રેરીની પણ મુલાકાત લીધી.