મોરબીઃ ઘડિયાળના ધંધામાં મંદી, નાના ઉત્પાદકોને મદદ કરવા મોટી ઉત્પાદકોનું આહ્વાહન
Live TV
-
તાજેતરમાં અગ્રણી ઉદ્યોગપતિ જયસુખ પટેલ, ઘડિયાળ એસોસિએશનના પ્રમુખ શશાંક દંગી તેમજ અન્ય વેપારીઓની મળેલી બેઠકમાં આ ઓફરનો સ્વીકાર કરાયો છે. જેથી નાના ઉત્પાદકોને માર્કેટ શોધવાની જરૂર પડશે નહીં.
ઘડિયાળ નગરીનું બિરૂદ પામેલ મોરબી શહેર ,વિશ્વકક્ષાએ ઘડિયાળના ઉત્પાદન માટે વિખ્યાત છે. ઘડિયાળનો ઉદ્યોગ છેલ્લાં ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહ્યો છે. નાના ઉત્પાદકોને મંદીમાં સહાય કરવા માટે મોરબીના મોટા ઘડિયાળ ઉત્પાદકોએ મહત્વનો નિર્ણય કર્યો છે.
માર્કેટ દેશ-વિદેશમાં વિશાળ છે ત્યારે નાના ઘડિયાળ ઉત્પાદકો નવા આઇડિયા કે નવી ડિઝાઇન લઈને આવે અને તેમના ઉત્પાદન તેમની ઓરેવો બ્રાંડના નામથી વેચવાની ઓફર મૂકી છે. તાજેતરમાં અગ્રણી ઉદ્યોગપતિ જયસુખ પટેલ, ઘડિયાળ એસોસિએશનના પ્રમુખ શશાંક દંગી તેમજ અન્ય વેપારીઓની મળેલી બેઠકમાં આ ઓફરનો સ્વીકાર કરાયો છે. જેથી નાના ઉત્પાદકોને માર્કેટ શોધવાની જરૂર પડશે નહીં. આ માલનું વિશ્વકક્ષાએ માર્કેટિંગ કરશે, અને નાના વેપારીને વેગ મળશે.
