કેન્દ્રીય કેબિનેટ બેઠકઃ રવિપાકના ટેકાના ભાવમાં કરાયો વધારો
Live TV
-
આજે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ખેડૂત લક્ષી કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયા લેવાયા હતા. તેના અંતર્ગત રવિ પાકોના ટેકાના ભાવોમાં નોંધપાત્ર વૃધ્ધિ કરવામાં આવી હતી. એક અનુમાન પ્રમાણે ભારતના ખેડૂતોને આ નિર્ણયથી 62 હજાર કરોડ જેટલી આવક થઇ શકે છે.
આ ટેકાના ભાવમાં વૃધ્ધી પાકના ઉત્પાદન ખર્ચ કરતાં પણ અનેક ઘણી વધારે છે. ઘઉંનો ટેકાનો ભાવ 105 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને 1840 રૂપિયા જેટલો કરવામાં આવ્યો છે. તેનું ઉત્પાદન ખર્ચ 866 રૂપિયા જેટલો છે. આ સાથે જ ચણા, સરસવ અને દાળના ટેકાના ભાવ પણ વધ્યા છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનના વિકાસ માટે ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશનના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી છે.
