દિલ્હીઃ ઈઝરાયેલના દૂતાવાસ પાસે થયેલ બ્લાસ્ટમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ
Live TV
-
દિલ્હીમાં ઈઝરાયેલના દૂતાવાસ પાસે શુક્રવારે થયેલા બ્લાસ્ટ કેસમાં તપાસ તેજ થઈ ગઈ છે. ફોરેન્સિક ટીમની તપાસમાં સામે આવ્યું છે કે બ્લાસ્ટ માટે એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરાયો હતો.
દિલ્હીમાં ઈઝરાયેલના દૂતાવાસ પાસે શુક્રવારે થયેલા બ્લાસ્ટ કેસમાં તપાસ તેજ થઈ ગઈ છે. ફોરેન્સિક ટીમની તપાસમાં સામે આવ્યું છે કે બ્લાસ્ટ માટે એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરાયો હતો.
દિલ્હીમાં ઈઝરાયેલ દૂતાવાસ પાસે શુક્રવાર સાંજે લગભગ 5 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. દૂતાવાસની ઈમારતથી લગભગ 150 મીટરના અંતરે થયેલા આ બ્લાસ્ટમાં કોઈને ઈજા નથી પહોંચી, પણ આસપાસ ઊભેલી પાંચ ગાડીને નુકસાન થયું છે. ઈઝરાયલે આને આતંકી હુમલો જાહેર કર્યો છે. બ્લાસ્ટ અંગે ચિંતા એટલા માટે પણ વધી હતી, કારણ કે શુક્રવારે જ ભારત-ઈઝરાયેલની કૂટનીતિક સંબંધોની 29મી વર્ષગાંઠ હતી.
