Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે રામકૃષ્ણ મિશનની પત્રિકા 'પ્રબુદ્ધ ભારત'ની 125મી વર્ષગાંઠ નિમિતે સંબોધન કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 3.15 કલાકે રામકૃષ્ણ વિન્યાસની માસિક જર્નલ 'પ્રબુદ્ધ ભારત'ની 125મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન કરશે. 1896માં સ્વામી વિવેકાનંદ દ્વારા આ જર્નલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 3.15 કલાકે રામકૃષ્ણ વિન્યાસની માસિક જર્નલ 'પ્રબુદ્ધ ભારત'ની 125મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન કરશે. 1896માં સ્વામી વિવેકાનંદ દ્વારા આ જર્નલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા કરવામાં આવી રહ્યું છે.
    ભારતના પ્રાચીન આધ્યાત્મિક જ્ઞાનનો પ્રસાર કરવા માટે 'પ્રબુદ્ધ ભારત' જર્નલ એક મહત્વપૂર્ણ માધ્યમ છે. તેનું પ્રકાશન મદ્રાસ (હાલ ચેન્નઇ) ખાતેથી કરવામાં આવ્યું હતું, જ્યાં સળંગ બે વર્ષ સુધી તેનું પ્રકાશન થયું અને તે પછી અલમોરા ખાતેથી તેનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં, એપ્રિલ 1899માં આ જર્નલનું પ્રકાશન સ્થળ બદલીને અદ્વૈત આશ્રમ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું અને ત્યારથી આજદિન સુધી અદ્વૈત આશ્રમ ખાતે જ તેનું પ્રકાશન થઇ રહ્યું છે.
    કેટલીક મહાન હસ્તીઓએ ભારતીય સંસ્કૃતિ, તત્વચિંતન, ઇતિહાસ, મનોવિજ્ઞાન, કળા અને અન્ય સામાજિક મુદ્દાઓ પર લખાણ લખીને 'પ્રબુદ્ધ ભારત'ના પાનાઓમાં પોતાની છાપ છોડી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, બાળ ગંગાધર તિલક, સિસ્ટર નિવેદિતા, શ્રી ઓરોબિંદો, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિશ્નન સહિત અન્ય પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા લોકોએ વર્ષોના સમયગાળામાં આ જર્નલમાં યોગદાન આપ્યું છે.  
    અદ્વૈત આશ્રમ, સમગ્ર 'પ્રબુદ્ધ ભારત'નો સંગ્રહ પોતાની વેબસાઇટ પર ઑનલાઇન મુકવા માટે કામ કરી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply