ICMRના પહેલા નેશનલ સીરો સર્વેનું અનુમાન- મે સુધી 64 લાખ લોકો આવી ચૂક્યા હતા કોવિડ પોઝિટિવ
Live TV
-
દેશમાં જારી કોરોના સંકટ વચ્ચે ICMRની તરફથી કરવામાં આવેલા પહેલા નેશનલ સીરો સર્વેના પરિણામો સામે આવ્યા છે..મેની શરૂઆત સુધીમાં 0.73% વયસ્ક એટલે કે 64 લાખ લોકો કોરોના વાયરસના સંપર્કમાં આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સર્વે જણાવે છે કે દરેક RT-PCR ટેસ્ટના એક કન્ફર્મ પોઝિટિવ કેસ સામે આવતો હતો કે તે સમયે 82-130 ઇન્ફેક્શનના કેસ હતા
સીરો સર્વે જણાવે છે કે જે જિલ્લામાં એક પણ કોરોનાના કેસ સામે ન્હોતા આવ્યા, તે જિલ્લાઓમાં પણ સીરો સર્વેમાં સંક્રમણની વાત સામે આવી છે..સર્વે રિપોર્ટ કરે છે કે જે જિલ્લાઓમાં કોઇ કેસ નહીં હતો કે ઓછા કેસ હતા, ત્યાં એટલા માટે ઓછા કેસ સામે આવતા હતા , કારણ કે ત્યાં ટેસ્ટિંગ ઓછું હતું..કે પછી ટેસ્ટિંગ લેબોરેટરી સુધી પહોંચવું સરળ નહીં હતી..એવી જગ્યાઓ પર જે મામલાઓ પર શક છે, તેની સર્વેલન્સ મજબૂત કરવામાં આવે અને ટેસ્ટિંગ વધારવામાં આવે
વિસ્તાના હિસાબથી પોઝિટિવિટી (સર્વે વધુ ગ્રામ્ય વિસ્તારોમાં થયો હતો)
ગ્રામ્ય - 69.4%
શહેરી સ્લમ- 15.9%
શહેરી નોન સ્લમ-14.6%ઉંમરના હિસાબથી પોઝિટિવિટી (કુલ સેમ્પલના 48.5% 18 થી 45 વર્ષની ઉંમરના લોકોના હતા)
18-45 : 43.3%
46-60 : 39.5%
60થી ઉપર :17.2%
