આઈ.આઈ.ટી ગાંધીનગર ‘પ્રોજેક્ટ આઇઝેક શોકેસ’ દ્વારા કોરોનાકાળમાં વિદ્યાર્થીઓએ દર્શાવેલી પ્રતિભા અને સર્જનાત્મકતાની કરશે ઉજવણી
Live TV
-
આઈ.આઈ.ટી ગાંધીનગર ‘પ્રોજેક્ટ આઇઝેક શોકેસ’ દ્વારા કોવિડ રોગચાળા દરમિયાન વિદ્યાર્થીઓએ દર્શાવેલી પ્રતિભા અને સર્જનાત્મકતાની ઉજવણી કરશે. પ્રોજેક્ટ આઇઝેક શોકેસ વર્ચુઅલ પ્રદર્શન અને ઇનામ સમારોહ હશે જે આજે યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલી શ્રેષ્ઠ અને સર્જનાત્મક રચનાઓની ઉજવણી અને પ્રદર્શન કરાશે. આ વર્ચુઅલ એક્ઝિબિશનમાં લાઈવ મ્યુઝિકલ પર્ફોમન્સ, કાવ્ય પઠન, સ્કેચ અને પેઇન્ટિંગ્સ માટે વર્ચુઅલ ગેલેરી વૉકથ્રુ, ક્વિઝ વગેરેનું આયોજન કરાયું છે. આઈઆઈટી ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ કૃતિઓને 1 લાખ રૂપિયાનાં ઇનામો અપાશે.
