ચૈત્રી વદ સાતમ ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિર કોરોનાના કારણે બંધ
Live TV
-
ચૈત્રી વદ-૭ (સાતમ)દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે. ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર ૨૦૦ વર્ષ કરતા વધુ જુનું છે. અને સ્ટેટ વખતનું આ મંદિર છે. ચૈત્રી વદ (૭) સાતમ અને શ્રાવણ વદ-૭(સાતમ) ના રોજ મેળો ભરાય છે.
ચૈત્રી વદ-૭ (સાતમ)દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે. ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર ૨૦૦ વર્ષ કરતા વધુ જુનું છે. અને સ્ટેટ વખતનું આ મંદિર છે. ચૈત્રી વદ (૭) સાતમ અને શ્રાવણ વદ-૭(સાતમ) ના રોજ મેળો ભરાય છે. જેમાં, હજારો ની સંખ્યામાં માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે. ત્યારે ગયા વર્ષે અને આ વખતે કોરોના ના કહેર સામે સાવચેત રહેવા માટે મંદિર દર્શનાથી માટે બંધ રાખેલ છે. આ જગ્યા ઉપર હવન તેમજ મહાપ્રસાદનું આયોજન થતું હોય છે જે આ વખતે બંધ છે. ઉલ્લેખનીય છે કે આજના દિવસે આજુ-બાજુનાં ગામડાનાં લોકો અહીયા દર્શન કરવા આવતા હોય છે.
