જુનાગઢ ખાતે રોપ – વે સેવા 6 થી11 માર્ચ દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય
Live TV
-
જુનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથ ખાતે યોજતો મહાશિવરાત્રિનો મેળો જનતા માટે રદ કરાયો હોવાથી રોપ – વે સેવા પણ 6 થી 11 માર્ચ દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય તંત્રએ લીધો છે. જિલ્લા વહીવટીતંત્ર અને સાધુસંતો વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે ધજારોહન અને શાહીસ્નાનની વિધિ સાધુઓ કરી પરંપરા નિભાવશે પણ લોકોને કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે પ્રવેશ આપશે નહીં.
