વાવાઝોડામાં ડ્રેગન ફુટના પાકને પણ નુકસાની, ખેડૂતોને ઉત્પાદન વધારવા માર્ગદર્શન
Live TV
-
બાગાયત ખાતાનાં નિષ્ણાંતોનાં માર્ગદર્શનથી સારુ ઉત્પાદન લઈ રહ્યા છે..નવીનીકરણ દ્વારા નવસર્જન કરવાના ઉદ્દેશથી ખેડુતોને નિર્દેશન તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે
ગીર વિસ્તારની પ્રખ્યાત કેસર કેરીના આંબાવાડીમાં ચાલુ વર્ષે તાઉતે વાવાઝોડાથી પાક તેમજ ઊભા આંબાઓમાં તેમજ ફળ પાકોને પુષ્કળ નુકશાન થયુ છે. તેમાં ઈગોરાલાના ખેડૂતે બાગાયતના માર્ગદર્શનથી પાકનુ સારૂ ઉત્પાદન મેળવ્યુ છે..સમઢીયાળાના અશ્વવીનભાઈ સભાયાએ ડ્રેગન ફ્રુટમાં ગયા વષે પણ સારૂ ઉત્પાદન મેળવીને બેગ્લોરમાં પ્રોડક્શન મોકલી આપ્યુ હતુ.. પરંતુ આ વર્ષે તાઉતે વાવાઝોડાના કારણે 200 પોલ પડી ગયા હોવાથી નુકસાન થવાનો ભય છે.. છતાં તેઓ બાગાયત ખાતાનાં નિષ્ણાંતોનાં માર્ગદર્શનથી સારુ ઉત્પાદન લઈ રહ્યા છે..નવીનીકરણ દ્વારા નવસર્જન કરવાના ઉદ્દેશથી ખેડુતોને નિર્દેશન તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે, અને સાથોસાથ સરકાર દ્વારા આ અંગે મળતી સહાય અને લાભોની વિગતો પણ આપવામાં આવશે.
