શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ધોરણ 9થી ધોરણ 12ની પરીક્ષા અંગે એક અગત્યનો નિર્ણય
Live TV
-
આ નિર્ણય મુજબ જે શાળાઓ તેમજ જે વિદ્યાર્થીઓના રહેઠાણ કન્ટેનમેન્ટ ઝોનમાં હશે તેઓ પછીથી પરીક્ષાનું આયોજન કરી શકશે
શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ધોરણ 9થી ધોરણ 12ની પરીક્ષા અંગે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય મુજબ જે શાળાઓ તેમજ જે વિદ્યાર્થીઓના રહેઠાણ કન્ટેનમેન્ટ ઝોનમાં હશે તેઓ પછીથી પરીક્ષાનું આયોજન કરી શકશે. નોંધનીય છેકે તારીખ 19 માર્ચથી 27 માર્ચ દરમિયાન ધોરણ 9થી ધોરણ 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોરોના સંક્રમણ વધતા વિવિધ શહેરોમાં કન્ટેન્ટમેન્ટ ઝોન વધ્યા છે. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે કન્ટેનમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓને નિયત તારીખમાં પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. તેમના માટે નવા પ્રશ્નપત્રો કાઢીને નવી તારીખો અનુસાર પરીક્ષા લેવામાં આવશે, તો જે શાળાઓનો સમાવેશ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં થાય છે તે શાળા પણ પરીક્ષાનું આયોજન કરી શકશે નહીં.
