કેનેડાના વિનિપેંગમાં ખાલિસ્તાની સમર્થક ગેંગસ્ટર સુખદુલ સિંહની હત્યા
Live TV
-
ભારતે કેનેડા માટેની વિઝાની સેવા બંધ કરી
કેનેડાના પ્રધાનમંત્રીએ ભારત પર લગાવેલા પાયાવિહોણા આક્ષેપ બાદ બન્ને દેશ વચ્ચે રાજકીય ગતિરોધ વધી ગયો છે. આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતે એક મોટો નિર્ણય લેતા કેનેડાના નાગરિકોના વીઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સમાચાર એજન્સી ANIના પાસેથી મળેલી જાણકારી મુજબ BLS ઈન્ડિયા વીઝા એપ્લિકેશન સેન્ટરે ભારતીય મિશન તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, કેનેડામાં ભારતીય વીઝા સાથે જોડાયેલી સેવાઓ આગામી સુચના સુધી પ્રતિબંધિત કરવામાં આવી છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ઓપરેશન કારણોસર 21 સપ્ટેમ્બર 2023થી ભારતીય સેવાઓને આગામી સુચના સુધી પ્રતિબંધિત કરવામાં આવે છે. તો વધુ એક મોટા સમાચાર ન્યૂઝ એન્જસી હિન્દુસ્તાન સમાચારના હવાલાથી મળ્યા છે. બન્ને દેશ વચ્ચે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ખાલિસ્તાન સમર્થક ગેંગસ્ટર સુખદુલસિંહ ઉર્ફે સુખા દુનેકેની મોડી રાત્રે કેનેડાના વિનિપેગમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે. NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે કેનેડામાંથી ભારત વિરોધી ગતિવિધિઓ કરાવતો હતો. આ હત્યા ગેંગવોરને કારણે થઈ હોવાની જાણકારી સામે આવી રહી છે.
જે રીતે ભારત અને કેનેડાની ગતિવિધિઓ ચાલી રહી છે, તેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે અને કેનેડામાં રહેતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.