કેરળમાં પૂરની સ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર
Live TV
-
કેરળમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે તો જનજીવન પણ પ્રભાવિત થયું છે... કેરળમાં વરસાદ બાદ ઉભી થયેલી વિકટ સ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નજર રાખી છે. પ્રધાનમંત્રીએ કેરળના મુખ્યમંત્રી
પી.વિજયન સાથે ટેલિફોનિક વાતચીત કરી અને સમગ્ર પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. કેરળમાં પૂર બાદ મૃત્યુ પામેલા લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના પરિવારજનો માટે સંવેદના
વ્યકત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ કેરળ સરકારને શક્ય તેટલી મદદ પહોંચાડવાની બાંહેધરી આપી છે... વહીવટી તંત્ર અસરગ્રસ્ત લોકોને ઝડપથી મદદ પહોંચાડવાનું કાર્ય કરી રહ્યુ છે. કેરળમાં પૂરની સ્થિતિને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેકની
સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી છે.