પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે
Live TV
-
મન કી બાત કાર્ય કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઈટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરવામાં આવશે.
એવી જ રીતે રવિવારે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી મન કી બાત કાર્યક્રમના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઈટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.