લાપતા વિમાન એ એન- 32ની નવ દિવસ પછી ભાળ મળી
Live TV
-
વાયુસેનાના લાપતા વિમાન એ એન- 32 ના કાટમાળની નવ દિવસ પછી ભાળ મળી છે. ત્રીજી જૂનના રોજ આસામથી અરૂણાચલ તરફ વધી રહેલા આ વિમાને રડાર સંપર્ક ગુમાવી દીધો હતો. વાયુસેનાએ એ વાતને સમર્થન આપ્યું છે કે, એ એન-32 નો કાટમાળ મળી ચૂક્યો છે. આસામના જોરહાટ ખાતેથી 13 પ્રવાસીઓ સાથે વિમાન રવાના થયું હતું. અંદાજે 12 હજાર ફૂટની ઉંચાઈએ લિયો નજીક તેનો કાટમાળ મળી આવ્યો છે. વાયુસેનાનું એમ.આઈ.17 હેલીકોપ્ટર આ વિમાનની શોધ ચાલવી રહ્યું હતું